ગગનભેદ- પ્રદીપ બ્રહ્મભટ્ટ
Jul 11th 2012vijayshahUncategorized
ગગનભેદ
તાઃ૯/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગગનભેદના જાણે કોઇ,જેસુર્ય,ચંદ્ર,પૃથ્વી,તારાથી ઓળખાય
જીવને મળતા દેહ જગત પર,એને અવનીપર પણ કહેવાય
. ………………….ગગનભેદના જાણે કોઇ.
કુદરતની આ અદભુતલીલા,જગતમાં ના કોઇને સમજાય
પ્રેમ પામીને જીવન જીવતાં,આ માનવ જીવન મહેંકી જાય
દ્રષ્ટિનીકેડી છે માનવીની નાની,જે આજુબાજુથી ઓળખાય
ચંદ્ર,સુર્યનેનિરખીલેવા પૃથ્વીથી,અવકાશયાત્રી પણથવાય
. ……………………ગગનભેદના જાણે કોઇ.
સ્પેશશટલને પકડી લેતાં,દેહ પૃથ્વીને છોડી ગગનમાં જાય
શીતળતાનોસહવાસ મળીજાય,જ્યાં ચંદ્રપર પગલા પડાય
અદભુતકૃપા વિજ્ઞાનની જગતમાં,જે લાયકાતે જ મળીજાય
સુર્ય,ચંદ્રને નિરખી લેતાં,જગત પરના માનવજીવો હરખાય
. ……………………ગગનભેદના જાણે કોઇ.
++++++++++++++++++++++++++++++++++++++++++
. .નાસાના વૈજ્ઞાનિક ડૉકટર શ્રી કમલેશભાઇ લુલાને તેમણે આપેલ
ચિત્રની ઓળખાણ રૂપે સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ
No Comments »